Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગર જિલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઈપલાઈન, પાક મૂલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટે વિવિધ પ્રકારની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આગામી તા. ૭ ઓગષ્ટના સવારના ૧૦-૩૦ કલાકથી કરી શકશે. ખેડૂતોએ ઓનલાઈન અરજી કર્યા બાદ આ અરજીની પ્રિન્ટ નકલ પોતાની પાસે સાચવવાની રહેશે. પૂર્વ મંજુરી મળ્યા બાદ ઓનલાઈન અરજીની નકલ સાથે જરૃરી સાધનિક દસ્તાવેજો જે-તે તાલુકા પંચાયત કચેરીની ખેતીવાડી શાખામાં મોકલવાની રહેશે. જેની જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial