Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

તા.ર૭ ઓકટોબરે મતદાન, તા.ર૮ ઓકટોબરે મતગણત્રી

જામજોધપુર તા. પઃ જામજોધપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. યાર્ડમાં હાલ ભાજપનું શાસન છે.  જામજોધપુર યાર્ડની ચૂંટણીમાં ૧૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે તા. ૧૬-૧૦-ર૩ થી ઉમેદવારી પત્રો ભરી શકાશે તા. ર૭-૧૦-ર૩ ના મતદાન અને તા. ર૮-૧૦-ર૩ ના મતગણત્રી કરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થાય તેવી શકયતા છે. ભાજપ અને કોંગ્રેસમાં સ્થાનિક સ્તરે ભારે જુથવાદ પ્રવર્તે છે અને હાલ જામજોધપુરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના હોવાથી યાર્ડમાં સત્તા કબ્જે કરવા 'આપ' ભારે જોર લગાવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh