Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમૃત ભારત યોજના હેઠળ દેશના ૧૩૦૯ પૈકી
જામનગર તા. પઃ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનોને પુનઃ વિકસીત કરવામાં આવનાર છે.
ભારત સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશ ભરના ૧૩૦૯ રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યા છે.
ભારતીય વિવિધતાઓની ભવ્યતા દર્શાવતા, આ પુનઃ વિકસીત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓ તેમજ હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેશમેન્ટથી સજજ હશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આયોજીત સુવિધાઓમાં અનઈચ્છનીય માળખાને દૂર કરીને સુલભ રેલવે સ્ટેશનો, સુધારેલ લાઈટીંગ, સુધારેલ પરિભ્રમણ વિસ્તારો, સુધારેલ પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગ મૈત્રીપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને ઈકો - ફ્રેન્ડલી ઈમારતો વગેરેનો સમાવેશ થાય છે. જામનગરમાં લાલપુર, જામજોધપુર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ સ્ટેશનનો સમાવેશ કરાયો છે. લાલપુર માટે રૃા. ૪.૯૯ કરોડ, ભાણવડ માટે રૃા. ૪.૯૯ કરોડ અને જામજોધપુર માટે રૃા. ૯.૭૪ કરોડની રકમ ફાળવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial