Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડીકચેરી, ગાંધીનગરનું અંધેર તંત્રઃ
જામનગર તા. ૫ઃ એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગરના ૧૦ થી ૧પ કર્મચારીઓના પગાર છેલ્લા બે માસથી આપવામાં આવ્યો નથી. કર્મચારીઓનો ઓર્ડર દર વર્ષે રીન્યુ કરવામાં આવે છે પરંતુ વડી કચેરી- ગાંધીનગર દ્વારા ઓર્ડર ન આવતા કર્મચારીઓનો પગાર થયો નથી. છેલ્લા બે-બે માસથી પગાર ન થતા દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓની પરિસ્થિતિ ખૂબ દયનીય બની ગઈ છે. હોમલોનના હપ્તા બાળકોની સ્કૂલ, ટયુશનની ફી ભરવા તેમજ ઘર ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ સમસ્યા સર્જાઈ રહી છે. આ અંગે મૌખિક રજુઆત કરવા છતાં પણ સમસ્યા હલ ન થતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. આથી હવે કર્મચારીઓ આ સમસ્યાને લઈને છેક મુખ્યમંત્રીને રજુઆત કરવાની વિચારણા પણ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial