Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૫ ઃ ખંભાળિયાના એક વૃદ્ધનો હથિયારનો પરવાનો રદ્દ થઈ ગયો હોવા છતાં તે વૃદ્ધ પરવાનાવાળી બંદૂક રાખતા હોય તેમની સામે એસઓજીએ ગુન્હો નોંધ્યો છે. ખંભાળિયાના નગર નાકા પાસે વણકરવાસમાં રહેતા જીવાભાઈ વેરશીભાઈ ડોરૃ (ઉ.વ.૬૮) નામના વૃદ્ધ ગઈકાલે જીવીજે હાઈસ્કૂલ પાસેથી પસાર થતા હતા. તેઓને આંતરી એસઓજીના સ્ટાફે તલાશી લેતાં આ વૃદ્ધના કબજામાંથી બાર બોરની બંદૂક મળી આવી હતી. આ વૃદ્ધ સામે હથિયાર ધારા ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ હથિયારનો પરવાનો અગાઉ રદ્દ કરાયો હતો. તેમ છતાં જીવાભાઈ પાસે તે હથિયાર હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial