Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘવાયેલા પ્રૌઢને દવાખાને ખસેડાયાઃ
જામનગર તા.પ ઃ જામનગરના દિગ્જામ સર્કલ નજીકના આંબેડકર બ્રિજ નીચે ગુરૃવારની રાત્રે સૂતેલા એક પ્રૌઢને ઠોકરે ચઢાવી, પચ્ચાસેક મીટર ઢસડયા પછી મોટર નાસી છૂટી હતી. ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જામનગરની ભાગોળે આવેલા દિગ્જામ સર્કલ પાસેના નવા બનાવવામાં આવેલા આંબેડકર બ્રિજ નીચે ગુરૃવારે રાત્રે સૂતેલા કનુભાઈ માધવજીભાઈ રાઠોડ નામના એક પ્રૌઢને માતેલા સાંઢની જેમ દોડી આવેલી મોટરે હડફેટે લીધા હતા.
મોટરની ઠોકરે ચડી ગયેલા કનુભાઈને પચ્ચાસેક મીટર સુધી મોટરે ઢસડ્યા હતા. હાથ તેમજ માથામાં ઈજા પામેલા કનુભાઈને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી મોટર સ્થળ પરથી નાસી ગઈ હતી. પોલીસ દ્વારા હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૃ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial