Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉઘરાણી કરાતા વેપારી પર ત્રણ પુત્ર-પિતા તૂટી પડ્યાઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક સિંધી આસામી પર મિલકતના ચાલતા ઝઘડાના કારણે સગા ભાઈએ છરીથી હુમલો કરી તેઓની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. જ્યારે બાકી પૈસાની ઉઘરાણી કરનાર ભંગારના વાડાવાળા આસામી પર ત્રણ પુત્ર-પિતાએ હુમલો કરી પૈસા માંગીશ તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં બ્લોક નંં.૧૨માં વસવાટ કરતા દિલીપભાઈ ટેકચંદ ચંદાણી નામના આસામીને તેના સગા ભાઈ વિજય ટેકચંદ સાથે મિલકત બાબતે મનદુખ થયા પછી વિજયે ખાર રાખ્યો હતો.
તે દરમિયાન ગઈકાલે સવારે દિલીપભાઈ પોતાના ઘરમાં એક ઓરડામાં નિદ્રાધીન હતા ત્યારે તેઓને મારી નાખવાના ઈરાદાથી સગા ભાઈ વિજય ટેકચંદ છરી વડે હુમલો કરી તેના ખચાખચ ઘા ઝીંકી દીધા હતા. તે ખભ્ભા તથા કાંડામાં ઈજા થતાં લોહીલુહાણ બની ગયેલા દિલીપભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પુત્ર રાજ ચંદાણીએ સગા કાકા વિજય ટેકચંદ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં ચાંદ્રા સ્ક્રેપ નામનો ભંગારનો વાડો ચલાવતા અને પવનચક્કી પાસે રહેતા અલ્પેશ રમણીકભાઈ ચાંદ્રા ગઈકાલે બપોરે પોતાના વાડા પાસે ઉભા હતા ત્યારે લાલવાડી નજીક નવા આવાસમાં રહેતો નુરમામદ ઝાડમ નામનો શખ્સ નીકળ્યો હતો. તેની પાસેથી અલ્પેશભાઈએ પૈસા લેવાના બાકી હતા. તેથી તેઓએ નુર મામદને બોલાવીને પૈસા ક્યારે આપીશ તેમ પૂછતા નુરમામદ ઉશ્કેરાયો હતો. તેણે બોલાચાલી કર્યા પછી પૈસા નથી આપવા, થાય તે કરી લે તેમ કહી પોતાના પુત્ર હુસેન અને શાહનવાઝને ફોન કરીને બોલાવ્યા હતા અને ત્રણેય શખ્સે ગાળો ભાંડી હતી. જ્યારે હુસેને ઢીકાપાટુથી માર મારવાનું શરૂ કર્યું હતું અને તે પછી નુરમામદ અને શાહનવાઝ તૂટી પડ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અલ્પેશભાઈએ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial