Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંગત અદાવતમાં હત્યા કરી હાથ-પગ બાંધી દીધા હતાઃ
જામનગર તા. ૧૪: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાંથી શનિવારે રાત્રે ભાડથર ગામના એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ચારેક દિવસથી ગુમ થયેલા આ યુવાનની ભાડથર ગામના શખ્સે અંગત અદાવતમાં હત્યા કર્યાનું ખૂલ્યું છે. આરોપીને પોલીસે પકડી પાડી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાંથી શનિવારે રાત્રે એક યુવાનના હાથ-પગ બાંધેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેની કોઈએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ તેમજ એલસીબી, એસઓજીનો કાફલો અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દોડી ગયા હતા. મૃતદેહને બહાર કઢાવી પોલીસે તેની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં મૃતકનું નામ રાજેશ નથુભાઈ મંગેરા (ઉ.વ.૪૫) હોવાનું ખૂલ્યું હતું.
આ યુવાન ચારેક દિવસથી પોતાના ઘરેથી લાપત્તા બની ગયો હતો અને તેનો પરિવાર શોધખોળ કરતો હતો. તે દરમિયાન અવાવરૂ કૂવામાંથી આ યુવાનનો હાથ, પગમાં દોરી બાંધેલો મૃતદેહ મળી આવતા તેની કોઈએ હત્યા કરી, હાથ-પગ બાંધી કૂવામાં નાખી દીધો હોવાની શક્યતા નજરમાં રાખી પોલીસે તપાસ આરંભી હતી જેમાં હત્યાનો ભેદ ખૂલ્યો છે.
પોલીસે ભાડથર ગામના ધર્મેશ ઉર્ફે ધરમદાસ ઉર્ફે ભોલા ભીખાભાઈ ગોંડલીયા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે અંગત મનદુખના કારણે રાજેશ નથુભાઈને મોતને ઘાટ ઉતારી તેના હાથ-પગ દોરીથી બાંધી પથ્થર સાથે નગાભાઈ દાનાભાઈ ભારવડીયાના કૂવામાં નાખી દીધાની કબૂલાત આપી છે. પોલીસે આ શખ્સની પૂછપરછ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial