Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ચાર શિક્ષકો લાંબા સમયથી રજા ઉપરઃ તંત્રએ પૂછ્યા ખુલાસા

બાળકોના શિક્ષણને થતી અસરનું જવાબદાર કોણ?

જામનગર તા. ૧૪: રાજ્યની અનેક પ્રાથમિક શાળામાં અમુક શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે, જેમાં અમુક મેડિકલ લીવ ઉપર છે. પરિણામે બાળકોના શિક્ષણ ઉપર અસર થાય છે. જામનગર જિલ્લામાં પણ ચાર શિક્ષકો મહિનાઓથી રજા ઉપર છે. આ અંગે તમામ પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના ચાર ગામના કુલ ચાર શિક્ષકો લાંબા સમયથી રજા ઉપર છે. જેમાં ગોવરીદડ (જામજોધપુર) ના દેવાતભાઈ રાણાભાઈ કછોટ નવેમ્બર ર૦રર થી મેડિકલ લીવ ઉપર છે. ધુતારપુર (જામનગર) ના સોનલબેન સોલંકી જૂન ર૦ર૩ થી રજા ભોગવી રહ્યા છે. તેમને અગાઉ નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. માધુપુર (લાલપુર) ના પાર્થ ભરતભાઈ રાઠોડ ડિસેમ્બર ર૦ર૩ થી એટલે કે આઠ માસથી રજા ઉપર છે તથા બાલંભડાના દર્શિતાબેન અગ્રાવત જૂન ર૦ર૩ થી રજા ભોગવી રહ્યા છે. તેવો નાના બાળક હોવાના કારણે લાંબા સમયથી કપાત પગારથી રજા ભોગી રહ્યા છે.

આમ જામનગર જિલ્લાના ચાર પ્રાથમિક શિક્ષકો એકથી દોઢ વર્ષથી રજા ઉપર છે, જો કે ત્યાં અન્ય કોઈ શિક્ષકની નિમણૂક પણ થઈ શકતી નથી, કારણ કે ત્યાં શિક્ષકની જગ્યા ભરેલી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh