Advertisement
Author: નોબત સમાચાર

મજૂરીની રકમ ન ચૂકવી સાડા ચાર લાખ પડાવી લેનાર શખ્સની જામીન અરજી રદ્દ

કડિયાકામ કરનાર પ્રૌઢે કરી હતી આત્મહત્યાઃ

જામનગર તા. ૧૪: જામનગરના એક પ્રૌઢે કડિયાકામ કર્યા પછી તેની મજૂરી લેવાની બાકી હતી અને જેના ઘેર કામ કર્યું તેને રૂ. સાડા ચાર લાખ પડાવી લીધા હતા. તે કારણથી આ પ્રૌઢે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ગુન્હો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી. તેણે કરેલી જામીન અરજી અદાલતે નકારી છે.

જામનગરના ખોડિયાર કોલોનીમાં રહેતા કાનજીભાઈ સોઢા નામના પ્રૌઢે થોડા સમય પહેલાં સુરેન્દ્રસિંહ બાલુભા સોઢાના ઘેર કડિયાકામ કર્યું હતું તેની મજૂરીની રકમ કાનજીભાઈએ લેવાની થતી હતી. તે રકમ આપવાની બદલે સુરેન્દ્રસિંહે રૂપિયા સાડા ચાર લાખ કાનજીભાઈ પાસેથી લઈ લીધા હતા અને વધુ પૈસાની માગણી કરાતા કાનજીભાઈએ મોરકંડા ગામની ધાર પાસે એક થાંભલામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

તેઓનું લખેલુ એક લખાણ પણ મળી આવ્યું હતું. જેમાં કાનજીભાઈએ સુરેન્દ્રસિંહ બાલુભા તથા તેમના પત્નીનો ઉલ્લેખ કરી તેઓના કારણે આત્મહત્યા કરતા હોવાનું લખેલુ હતું. તેમના પુત્ર નિલેશ સોઢાની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી સુરેન્દ્રસિંહ બાલુભાની ધરપકડ કરી હતી.

જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી તેમાં જણાવ્યું હતું કે, તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, કહેવાતી રકમ બાકી હતી કે કેમ? કાનજીભાઈએ કામ રાખ્યું હતું? વગેરે ચોક્કસ કારણો જણાવાયા નથી અને સંયુક્ત આક્ષેપો કરવામાં આવ્યા છે. તેથી શંકાનો લાભ આરોપીને મળવો જોઈએ અને તેને જામીન મુક્ત કરવો જોઈએ.

તે દલીલ સામે મૂળ ફરિયાદીના વકીલે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી સુરેન્દ્રસિંહ બાલુભા સોઢાની જામીન અરજી રદ્દ કરી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર.ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા તથા કરણ પટેલ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh