Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયરના અધ્યક્ષસ્થાને પ્રસ્થાનઃ સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો, પદાધિકારીઓ, અધિકારીઓ જોડાયાઃ
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, અધિકારીઓ સહિતનાઓ જોડાયા હતાં. દેશમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે હર ઘર તિરંગા અન્વયે ગઈકાલે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને તળાવની પાળે આયોજીત કાર્યક્રમમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, કલેક્ટર બી.કે. પંડ્યા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, એસ.પી. પ્રેમસુખ ડેલુ, હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા, ઘોડેશ્વર પોલીસ કર્મચારીઓ, નેવી બેન્ડ અને જવાનો, એન.સી.સી. કેડેટ્સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial