Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક કેસમાં વળતર કરાયું મંજૂરઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક આસામીનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમનું મંજૂર થયેલું વળતર વધારી આપવા હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. હાઈકોર્ટે વધારાની રકમ મંજૂર કરી વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. જ્યારે મોડપરના આસામીની અકસ્માતમાં ઈજા બદલ વળતરની અરજી મંજૂર કરવામાં આવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા અમૃતલાલ હીરજીભાઈનું વાહન અકસ્માતે મૃત્યુ થયા પછી વર્ષ ૨૦૦૬માં તેમના વારસોએ વળતર મેળવવા અરજી કરી હતી. ટ્રિબ્યુનલે રૂ. ૩ લાખ ૮૧ હજાર મંજૂર કર્યા હતા. તે રકમમાં વધારો કરી આપવા વર્ષ ૨૦૧૨માં હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે વધુ રૂ. ૪ લાખ ૮૨,૩૦૦ સાત ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
લાલપુરના મોડપર ગામના જીવાભાઈ રામભાઈ ચુડાસમાને વર્ષ ૨૦૧૨માં અકસ્માતમાં ઈજા થઈ હતી. તેઓએ વળતર મેળવવા કરેલી અરજી ટ્રિબ્યુનલે અંશતઃ મંજૂર કરી રૂ. ૨,૬૫,૭૦૦ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યાે છે. બંને કેસમાં અરજદારો તરફથી વકીલ એસ.કે. રાચ્છ, વિરલ રાચ્છ, સોહિલ બેલીમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial