Advertisement
Author: નોબત સમાચાર

સચાણાં ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું

જામનગર તા. ૧૪: જામનગર તાલુકાના સચાણા ગામમાંથી કોલેરા પોઝિટિવ કેસો નોંધાયા છે, જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત અને તેની આજુબાજુનો ર કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે. પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર તરફથી મળેલ દરખાસ્ત અન્વયે જામનગર તાલુકામાં આવેલ સચાણા ગામમાંથી કોલેરાના પોઝિટિવ કેસો નોંધાયેલા હોવાથી કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અને તેની આજુબાજુના ર કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલી છે. તેથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમિક ડીસીઝ એકટ નંબર ૩ ઓફ ૧૮૯૭ અન્વયે સચાણા ગામને તા. ૧૩ ઓગસ્ટથી કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના ર કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh