Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં રસ્તે રઝળતા અને અડિંગો જમાવી બેસેલા ઢોર પારાવાર મુશ્કેલી સર્જી રહ્યા છે. જેના પરિણામે અનેક વખત અકસ્માતોના બનાવ પણ બનતા રહે છે. કયારેક ઢોર સાથે વાહન અથડાઈ છે. તો કયારેક ઢોર દ્વારા રાહદારી અથવા વાહન ચાલકને હડફેટેમાં લેવામાં આવે છે. અહીં પ્રસ્તુત તસ્વીર રણજીતનગર ચોકથી નવાનગર બેન્ક તરફના માર્ગ હનુમાન મંદિર ચોકની છે. જ્યાં અનેક ઢોરે રસ્તા વચ્ચે અડિંગો જમાવ્યો હોવાનું સ્પષ્ટ નજરે ચડે છે. મહાનગરપાલિકા દ્વારા આવા ઢોરને પકડીને ડબ્બે પૂરવામાં આવે તેવી માંગણી સ્થાનિક દુકાનદારા અને રહેવાસીઓમાં ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh