Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર ડેમમાં ન્હાવા ઉતરેલા પરપ્રાંતિય યુવાનનું ડૂબી જવાથી મોત

મિત્રો સાથે ફરવા ગયા પછી ન્હાવા ઉતર્યા હતાઃ

જામનગર તા. ૧૪: જામનગરના રણજીતસાગર ડેમમાં ગઈકાલે એક પરપ્રાંતિય યુવાન ડૂબી જતાં મોતને શરણ થયા છે. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો છે. આ યુવાન પોતાના મિત્રો સાથે ડેમ પર ફરવા ગયા પછી ન્હાવા ઉતર્યા હતા અને ડૂબ્યા હતા.

જામનગરના રણજીત સાગર ડેમમાં ગઈકાલે બપોરે એક યુવાન ડૂબ્યા હોવાની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો ધસી ગયા હતા. ત્યાં તેઓએ ડેમના પાણીમાં સેફટીના સાધનો સાથે ઝંપલાવી આ યુવાનની શોધ શરૂ કરી હતી. જેમાં ડેમના ઉંડાણમાંથી એક યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા.

તેઓને કિનારે લાવી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. તે દરમિયાન પંચકોશી બી ડિવિ. પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ધસી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તજવીજમાં મૃતક મૂળ બિહાર રાજ્યના સારનછપરા જિલ્લાના પંચપટીયા ગામના વતની અશ્વાનીસિંગ બાસુદેવસિંગ રાજપૂત નામના પ્રૌઢના પુત્ર પ્રવીણ (ઉ.વ.૧૮) હોવાનું ખૂલ્યું છે.

પોલીસે મૃતક યુવાનના પરિવારને જાણ કરતા હાલમાં સાધનાકોલોનીમાં જલારામ મંદિર પાસે રહેતા અશ્વાનીસિંગ દોડી આવ્યા હતા. તેઓએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન તથા તેમના અન્ય બે મિત્રો ગઈકાલે રણજીત સાગર ડેમ પર ફરવા માટે પહોંચ્યા પછી ન્હાવા ઉતર્યા હતા. જેમાંથી પ્રવીણભાઈ ડૂબી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh