Advertisement
Author: નોબત સમાચાર

ગિરો જગ્યાનો કબજો બેંકને સોંપી આપવા કોર્ટનો આદેશ

જામનગર તા. ૧૪: જામનગરના ગાંધીનગરમાં આવેલા એક મકાનને મોરગેજ કરી લોન મેળવાઈ હતી. તે લોનના હપ્તા ન ભરાતા બેંકે અદાલતનો આશરો લીધો હતો. તે મકાનનો કબજો બેંકને સોંપી આપવા હુકમ કરાયો છે. જામનગરના બેડેશ્વર રોડ પર ગાંધીનગરમાં બ્લોક નં.ડી/૨૫ પર નરપતસિંહ અખુભા જાડેજા અને ભગીરથ સિંહ નરપતસિંહ જાડેજાએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન મેળવી હતી. આ લોનની રકમ ચઢત થઈને રૂ. ૪૨,૪૪,૪૯૮ થઈ જતાં અને તે ભરપાઈ ન કરાતા બેંક દ્વારા સરફેસીના કાયદા હેઠળ અરજી કરાઈ હતી. અદાલતે તે જગ્યાનો કબજો મેળવી બેંકને સોંપી આપવાનો હુકમ કર્યાે છે. બેંક તરફથી વકીલ ગૌરવ પંડયા, ઉદય કવૈયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh