Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રતિવાદી પક્ષની દલીલ ગ્રાહ્યઃ
જામનગર તા. ૧૪: ધ્રોલના ખારવા ગામની એક જમીન અંગે ગાડામાર્ગ બંધ ન કરવા અને તે જગ્યાના પ્લોટીંગ અંગે વેચાણ ન કરવા માટે કોર્ટમાં દાવો કરાયો હતો. તેમાં પ્રતિવાદી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે દાવો નામંજૂર કર્યાે છે.
ધ્રોલ તાલુકાના ખારવા ગામના કસ્તુરબેન ભાણજીભાઈ વગેરેએ રે.સ.નં.૪૮૫, ૪૮૬, ૪૮૭ની પૂર્વ બાજુએ આવેલી જમીનનો ગાડામાર્ગ બંધ કરવામાં ન આવે તથા બિનખેતી જગ્યાના પ્લોટ પાડી વેચાણ કરવામાં ન આવે તે માટે ખારવા ગામના જ નાનજીભાઈ હરખાભાઈ ઘેટીયા સામે ધ્રોલ કોર્ટમાં દાવો કર્યાે હતો.
તે દાવા સામે નાનજીભાઈ હરખાભાઈ વગેરેએ વાંધો લઈ દલીલો રજૂ કરી હતી. તેને માન્ય રાખી અદાલતે કસ્તુરબેન તથા જયંતિલાલ લાલજીભાઈ વગેરેનો દાવો નામંજૂર કર્યાે છે. નાનજીભાઈ તરફથી વકીલ એસ.કે. રાચ્છ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial