Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના તરસાઈ ગામમાં હર ઘર તિરંગા અભિયાન અન્વયે કાર્યક્રમો

તિરંગા યાત્રા-ભુલકાઓ માટે વિવિધ સ્પર્ધાઓઃ

જામનગર તા. ૧૪: રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. તેને અનુલક્ષીને જામજોધપુર તાલુકામાં આવેલ તરસાઈ ગામમાં હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરસાઈ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતાં. ઉપરાંત શાળા પરિવાર દ્વારા ભૂલકાઓ માટે ચિત્રસ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સર્વે ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ તાલુકા વહીવટ તંત્ર, ગ્રામ પંચાયત, શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh