Advertisement
Author: નોબત સમાચાર

વિવિધ શાળાઓમાં ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

સૂરજકરાડીમાં જલારામ ચેરી.ટ્રસ્ટ દ્વારા

મીઠાપુર તા. ૧૪: સૂરજકરાડીમાં સૂરજકરાડી તાલુકા શાળા, મહાદેવપરા તાલુકા શાળા, સૂરજકરાડી કન્યા શાળા, આરંભડા સરસ્વતી શીશુ મંદિર, માધ્યમિક શાળા તથા કસ્તુરબા ગાંધી કન્યા શાળામાં સ્વ.શંકરલાલ ખીમજીભાઈ રાયમંગીયા તથા સ્વ. મનસુખભાઈ નરોત્તમદાસ બારાઈની સ્મૃતિમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં દાતા પરિવારના તથા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનુપમભાઈ બારાઈ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ, સૂરજકરાડી ગ્રેઈન મરચન્ટ એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ કાનાણી, હસમુખભાઈ કાનાણી તથા દરેક શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા દરેક શાળામાં વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શિક્ષણ માટે કોઈપણ જરૂરિયાત હોય તો બનતી મદદ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. આ સેવા કાર્ય માટે છેલ્લા ૧ર વર્ષથી સતત ચાલે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh