Advertisement
Author: નોબત સમાચાર

મોરકંડા અને સીક્કામાં યોજાઈ તીરંગા યાત્રા

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહની વિવિધ જગ્યાએ ઉજવણી થઈ રહી છે. જેના અનુસંધાને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના મોરકંડા અને સીક્કા ગામે તીરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્રતા દિવસને અનુરૂપ પોસ્ટરો રાખવામાં આવ્યા હતાં. તેમજ દેશભક્તિના ગીતો અને સૂત્રોથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો રંગ છવાયો હતો.

મંત્રી આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ૧પમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક ભારતવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવે તેના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યું છે. જેને સફળ કરવા જામનગર જિલ્લા સહિત દરેક લોકોને પોતાના ઘર ઉપર ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરી હતી.

આ રેલીમાં અગ્રણી રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, અગ્રણીઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh