Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં સુસાઈડ બોમ્બર વીવીઆઈપીને બનાવી શકે છે નિશાનઃ હાઈ એલર્ટ જાહેર

૧૪-૧પ ઓગસ્ટ આસપાસ હુમલો થઈ શકેઃ

નવી દિલ્હી તા. ૧૪: દિલ્હીમાં ત્રાસવાદી હુમલાનો ખતરો હોવાથી હાઈએલર્ટ જાહેર કરાયું છે. આત્મઘાતી બોમ્બર દિલ્હીમાં વીવીઆઈપીને નિશાન પર લઈ શકે છે તેવા ગુપ્તચર અહેવાલો પછી સમગ્ર શહેરમાં કિલ્લેબંધી કરાઈ છે.

ઓગસ્ટની આસપાસ દિલ્હીમાં આતંકી હુમલાની આશંકાથી ગુપ્તચર એજન્સીઓએ મલ્ટી ટેરર એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે યમુના ખાદર સહિત દિલ્હીના ઘણાં વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હીમાં આતંકવાદી હુમલાને લઈને મલ્ટી ટેરર એલર્ટ જાહેર કર્યું છે.

આ મુજબ આતંકવાદીઓ ૧પ ઓગસ્ટની આસપાસ કોઈ મોટા હુમલાની યોજના બનાવી શકે છે, જેમાં માનવ બોમ્બરના રૂપમાં હુમલો થવાની સંભાવના છે. આતંકવાદીઓ વીવીઆઈપી લોકોને નિશાન બનાવી શકે છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

આ એલર્ટની માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લશ્કર-એ-તૈયબા, ટીઆરએફ અને જૈશ-એમોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને દરેક રીતે સમર્થન આપી રહી છે અને તેમને ભારતમાં હુમલા કરવા માટે ઉશ્કેરે છે.

આ એલર્ટે સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકી દીધી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે સ્વતંત્રતા દિવસ નજીક છે. આથી સ્થિતિમાં, રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને વધ કડક કરવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh