Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલને 'સુપ્રિમ' ઝટકોઃ જામીન ન મળ્યાઃ તા. ર૩ ઓગસ્ટે સુનાવણી

સ્વતંત્રતા દિવસ જેલમાં જ ઉજવવો પડશેઃ

નવી દિલ્હી તા. ૧૪: આજે સુપ્રિમ કોર્ટે કેજરીવાલના જામીન મંજુર કર્યા નથી, અને બીજા પક્ષને સાંભળીને જ નિર્ણય લેવાનું ઠેરાવી આગામી સુનાવણી ર૩ ઓગસ્ટે રાખી છે. આમ હવે કેજરીવાલને સ્વતંત્રતા દિવસ જેલમાં જ ઉજવવો પડશે.

સુપ્રિમ કોર્ટે લિકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા આ મામલે આગામી સુનાવણી ર૩ ઓગસ્ટ નક્કી કરી દીધી છે.

સુપ્રિમ કોર્ટના જજે કહ્યું કે, અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનિષ સિસોદિયા અને સંજયસિંહની જેમ સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે, પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુપ્રિમ કોર્ટે ઈડીના કેસમાં અરવિંજ કેજરીવાલને પહેલા જ જામીન આપી દીધા હતાં, પરંતુ સીબીઆઈ દ્વારા દાખલ કેસને કારણે તેમણે ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો હતો. કેજરીવાલ પર કથિત લિકર પોલિસીમાં કૌભાંડ આચરવાનો આરોપ છે. સીબીઆઈ અને ઈડી દ્વારા તેમને કથિત કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાવાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh