Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨ઃ ખંભાળીયા તાલુકાના સલાયા ગામના તળાવમાંથી ગાંડીવેલ દૂર કરી તળાવને ઉંડુ ઉતારવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
સલાયા સમુદ્ર કિનારે હોવાથી જમીનના તળમાંથી ખારાશવાળુ પાણી મળે છે જે પીવા લાયક હોતુ નથી જો કે આ સમસ્યા છેલ્લા થોડા વર્ષથી વકરી છે. અગાઉ ઓછી ખારાશવાળુ પાણી મળતુ હતું. જેનું કારણ એ હતું, સલાયામાં આવેલા બે તળાવો. આજે પણ હૈયાત છે. જેમાં એક સ્ટેશન રોડ ઉપર અને બીજુ હનુમાન મંદિર પાસેના તળાવમાં ગાંડી વેલનું સામ્રાજ્ય ફેલાયું છે તેમજ વર્ષોથી કાપ જમા થયો છે આથી પાણી સંગ્રહ ઓછો થાય છે. જો ગાંડી વેલ દૂર કરી, કાપ કાઢવામાં આવે અને તળાવને ઊંડુ ઉતારવામાં આવે તો વધુ પાણીનો સંગ્રહ થઈ શકે. આથી આજુબાજુના વિસ્તારમાં જમીનના પાણીના સ્તર ઉપર આવી શકે છે અને પાણી ખારાશ પણ ખટકી શકે છે. આ તળાવ ૧૦૦ વર્ષ જુનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial