Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પત્નીનું પોલીસે નિવેદન નોંેંધ્યુંઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરની ગ્રીનસિટીમાં રહેતા મૂળ રાજકોટના વતની નેપાળી યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. આ યુવાનને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ તેમના પત્નીને થઈ ગયા પછી ઘરમાં થતાં કંકાસથી કંટાળી આ યુવાને જીવાદોરી ટૂંકાવી હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટીમાં ગ્રીન એપલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૫૦૩માં વસવાટ કરતા મૂળ રાજકોટના વતની જયરાજસિંહ જગતસિંહ રાવત (ઉ.વ.૨૮) નામના નેપાળી દરબાર યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં જયરાજસિંહને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. તે દરમિયાન પોલીસને વાકેફ કરાતા સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના પત્ની શ્વેતાબેનનું નિવેદન નોંધ્યું છે.
આ મહિલાએ પોલીસ સમક્ષ આપેલી કેફિયતમાં જણાવ્યા મુજબ તેમના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતો જેની ઘરમાં જાણ થઈ જતાં ઘરમાં અવારનવાર કંકાસ થતો હતો. તે બાબતનું માઠું લાગી આવતા ગઈકાલે રાત્રે અગિયારેક વાગ્યે આ યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે નિવેદનની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial