Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાની આત્મહત્યાના કિસ્સામાં સાસુ-દિયરનો કોર્ટમાં થયો છૂટકારો

નવ વર્ષ પહેલા પરિણીતાએ ખાધો હતો ગળાફાંસોઃ

જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં એક પરિણીતાએ નવ વર્ષ પહેલા ગળાફાંસો ખાધો હતો. તેણીના સાસુ તથા દિયર સામે આત્મ હત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યોે છે.

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા દીપકસિંહ શિવુભા જેઠવા સાથે નયનાબા વનરાજસિંહ સોઢાના લગ્ન થયા પછી ગઈ તા.૧૫-૧૦-૧૪ના દિને નયનાબાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેણીના પિતા વનરાજસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યંુ હતું કે, તેમની પુત્રી નયનાબા તથા જમાઈ દીપકસિંહને સાસુ અનુબા શિવુભા, દિયર રઘુભા ઉર્ફે લગધીરસિંહ શિવુભા જેઠવા મિલકતના ભાગ બાબતે ત્રાસ આપતા હતા અને તેનાથી કંટાળી તેમની પુત્રીએ ગળાફાંસો ખાધો છે.

ઉપરોક્ત ફરિયાદ પોલીસે આઈપીસી ૩૦૬, ૪૯૮ (એ) હેઠળ નોંધી આરોપી સાસુ અનુબા તથા દિયર રઘુભાની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નિર્મળસિંહ પી. સરવૈયા, એચ.બી. પરમાર, બ્રિજેશ ત્રિવેદી, સુમિત વડનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh