Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કચરો ભરેલ વાહનો નંબર પ્લેટ વગર બે રોકટોક દોડે છેઃ રજૂઆત

પગલા લેતા પોલીસ કોની લાજ કાઢે છે ?

જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લામાં કચરાની ગાડીઓમાં નંબર પ્લેટ હોતી જ નથી. આ બાબતે પગલા લેવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.

જામનગરના પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘારએ જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, કચરાના વાહનો શહેરમાં આંટાફેરા કરે છે તેમાં નંબર પ્લેટ હોતી નથી. આ બાબતે અગાઉ પણ રજુઆતો કરી હતી. છતાં પોલીસ કોઈ પગલાં લેતી નથી. ગાંધીનગર ડમ્પીંગ પોઈન્ટ પાસે આવતી કચરાની ગાડીઓની ખરાઈ થતી નથી. આવા વાહન ધારકો, ચાલકો સામે કોઈ પગલા લેવાતા નથી જ્યારે સામાન્ય વાહન ચાલક સામે પોલીસ દંડો ઉગામે છે.

બેડી મરીન પોલીસ ચોકી દ્વારા પણ માથાભારે વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કચરો ભરેલું વાહનો તાલપત્રી ઢાંક્યા વગર જ નીકળતા હોવાથી રાહદારીઓ પરેશાન થાય છે. આથી નિષ્ફળ પોલીસના જવાબદારો સામે પગલા લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh