Advertisement
Author: નોબત સમાચાર

થોડી રાહ જૂઓ-પીઓકે આપોઆપ બની જશે ભારતનો હિસ્સોઃ કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ

ભારતમાં વિલીનીકરણ માટે ઉઠી રહેલી માંગના પ્રશ્ને આપ્યો જવાબ

નવી દિલ્હી તા. ૧રઃ કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે ઘણું જ સૂચક નિવેદન આપતા કહ્યું છે કે થોડી રાહ જુઓ, પીઓકે આપોઆપ ભારતમાં ભળી જશે.

ચૂંટણી નજીક આવતા જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અવારનવાર ચર્ચાનો વિષય બનતો હોય છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે. આ પહેલા તમામ રાજકીય પક્ષ સત્તામાં આવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવામાં રાજસ્થાનની મુલાકાતે ગયેલા કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહએ પણ પીઓકેને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

રાજસ્થાનના એક કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવેલ જવાબમાં આપ્યો હતો. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે, પીઓકેના લોકો ભારતમાં વિલીનીકરણની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ભાજપનું શું વલણ છે ? આ પ્રશ્નના જવાબમાં તેમણે પીઓકેના ભારતમાં વિલીનીકરણની વાત કરી હતી.

ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જનરલ વીકે સિંહ રાજસ્થાન પહોંચ્યા હતાં. રાજસ્થાનના દૌસામાં પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહને પૂછવામાં આવ્યું કે શું પીઓકેના શિયા મુસ્લિમો ભારત સાથે સરહદમાં વિલીનીકરણની વાત કરી રહ્યા છે. તમે આ અંગે શું કહેવા માંગો છો ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, પીઓકે આપોઆપ ભારતમાં ભળી જશે તમે થોડી રાહ જુઓ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh