Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-જામવંથલીની પ્રશંસનીય કામગીરીઃ
જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-જામવંથલીના ઘૂડસિયા વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ભંડેરીની વાડીમાં પ્રકાશભાઈ નીંગવાલ કે જેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે. તેઓ ત્યાં મજૂરી કામ કરે છે. પ્રકાશભાઈએ તેમની ૧૮ મહિનાની બાળકી અસ્મિતાનું રસિકરણ કરાવ્યું ન હતું.
આ વાતની જાણ થતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામવંથલીના ડો. સુભાષ ધમસાણિયા દ્વારા દ્વારા એક આરોગ્ય ટીમ મોકલવામાં આવી હતી. જેમાં બાબરિયા દક્ષાબેન (એફ.એચ.ડબલ્યુ) મીનાબેન (આશા), ભાવેશભાઈ બારૈયા (સી.એચ.ઓ.) રસિકરણ કરવા માટે ગયા હતાં. રસિકરણ કરવાથી બાળક રડવા લાગે છે તેમજ બીમાર પણ પડે છે તેવી ગેરમાન્યતાના પગલે માતા-પિતાએ તેમની બાળકી અસ્મિતાનું રસિકરણ કરવાની ના પાડી હતી. ત્યારપછી જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. નુપુર પ્રસાદ અને ડી.એચ.એસ. વિજયભાઈ જોષીએ આ પરિવારની મુલાકાત લીધી હતી. જિલ્લા આર.સી.એચ.ઓ.એ રસિકરણ કરવાથી બાળકને શું-શું લાભ થાય છે અને રસિકરણ ન કરવામાં આવે તો બાળકને શું ગેરલાભ થાય છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. અંતે રસિકરણ અંગે ગેરમાન્યતા દૂર થતાં માતા-પિતાએ તેની બાળકી અસ્મિતાનું રસિકરણ કરાવ્યું હતું. બાળકીને મિઝલ્સ રૃબેલા, ડી.પી.ટી., ઓ.પી.વી. અને વિટામિન-એ સીરપ આપવામાં આવી હતી. તેમ ડી.એસ.બી.સી.સી. ચિરાગભાઈ પરમાર, અને આરોગ્યની ટીમે જણાવ્યું હતું. બાળકીના પરિજનો અને વાડી માલિકે જિલ્લા આર.સી.એચ.ઓ. અને આરોગ્યની ટીમનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial