Advertisement
Author: નોબત સમાચાર

પાંચ લાખના ચેક પરતના કેસમાં નગરના આસામીને અઢાર મહિનાની કેદની સજા

ચેકની રકમ વળતરપેટે ચૂકવવા કરાયો આદેશઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરના એક આસામીએ પોતાના મિત્ર પાસેથી રૃા.પ લાખ હાથઉછીના લઈ આપેલો ચેક પરત ફરતા તેની સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને અઢાર મહિનાની કેદની સજા ફટકારી છે અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ જામભા જાડેજા પાસેથી  ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા પિયુષ મનસુખભાઈ માંડલીયાએ મિત્રતાના દાવે હાથઉછીના રૃા.૫ લાખ લીધા હતા અને તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નરેન્દ્રસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પિયુષ મનસુખભાઈ માંડલીયાને તક્સીરવાન ઠરાવી અઢાર મહિનાની કેદની સજા અને રૃા.૫ લાખ વળતરપેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી  વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh