Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા રોડ પર રિક્ષાનું ગોથું એડવોકેટના પરિવારને થઈ ઈજા

પાછળથી આવતી મોટરે મારી ઠોકરઃ

જામનગર તા. ૧૨ઃ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આઠમના દિને બપોરે સીએનજી રિક્ષાને પાછળથી પુરપાટ ધસી આવેલી મોટરે ટક્કર મારતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. તેમાં મુસાફરી કરતા જામનગરના વકીલના પરિવારને ઈજા થઈ હતી. જામનગરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા જુનૈદભાઈ મહેબુબભાઈ જેમલાણી અને તેમનો પરિવાર ગઈ તા.૭ના દિને જીજે-૨૩-યુ ૪૬૯૬ નંબરની રિક્ષામાં લાલપુર તાલુકાના ખટીયા ગામમાં આવેલી એક દરગાહ પર દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી જેમલાણી પરિવાર બપોરના સમયે પરત ફરતો હતો ત્યારે ખંભાળિયા હાઈવે પર જીજે-૧૦-એપી ૫૧૪૦ નંબરની કાળા રંગની મોટરે રિક્ષાને પાછળથી ઠોકર મારતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં જુનૈદભાઈ તથા તેમના પરિવારના વ્યક્તિઓને ઈજા થઈ છે. સિક્કા પોલીસ સ્ટેશનમાં મોટરચાલક સામે ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh