Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા
જામનગર તા. ૧રઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી વરસાદ પડયો નથી. સરકારી નિયમો પ્રમાણે સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય ચૂકવવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કિસ્સામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય મળવાપાત્ર છે. અનાવૃષ્ટિના કિસ્સામાં નિયમાનુસાર તાલુકાના મહેસુલી રેઈનગેજ મુજબ જે તાલુકામાં ચાલુ સિઝનનો દસ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજ્યમાં ચોમાસું શરૃ થાય ત્યારથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (ર૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે, સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને દુષ્કાળનું જોખમ ગણવામાં આવે છે.
આ નિયમ મુજબ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી વરસાદ પડેલ નથી. વધુમાં ચોમાસું શરૃ થયા પછી સૌની યોજનાનું પાણી પણ કોઈ તાલુકામાં છોડવામાં આવેલ ન હોય, જેના લીધે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ચૂકવવા રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial