Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રીયન તમિલનો પ્રતિભાવ
ખંભાળિયા તા. ર૫ઃ વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા બાંધવો દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે. સૌરાષ્ટ્રીયન તમિલ ભગવતીજીએ જણાવ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૃ છું. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના આયોજન થકી જ સોમનાથ, દ્વારકામાં અમે દર્શન કરી શક્યા છીએ. અમે આ કાર્યક્રમનો હિસ્સો બન્યા. અમે ખૂબ ભાગ્યશાળી છીએ.
પ્રવાસન થકી તમિલનાડુ - ગુજરાત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશેઃ દીનાકરજી
સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સૌ પ્રથમવાર તમિલનાડુથી સૌરાષ્ટ્ર આવેલા દીનાકરજીએ જણાવ્યું હતું કે, વર્ષો પછી પૂર્વજોની ધરતી પર પરત ફરવાનું સૌભાગ્ય મળ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ચરિતાર્થ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર તમિ સંગમ કાર્યક્રમ યોજાયો છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું કે પ્રવાસન થકી તમિલનાડુ અને ગુજરાત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. પરિવારના સભ્યની જેમ દરેક જગ્યાએ અમારૃ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમારા જ પરિવારની વચ્ચે પરત ફર્યા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છીએ. દરેક જગ્યાએ રહેવા-જમવાની ઉત્તમ સગવડો પૂરી પાડવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરૃ છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag