Advertisement
Author: નોબત સમાચાર

યુવરાજસિંહ સામેનો કેસ પાછો ખેંચી સાચા કૌભાંડિયાઓને પકડી પગલાં લેવા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્રઃ

ખંભાળિયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકારે ડમી કાંડના આરોપી યુવરાજસિંહ જાડેજા પર પગલાં ભર્યા હોય તેના સગાઓ પાસેથી મોટી રકમ પકડેલ હોય આ મુદ્દે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપીને સાચા કૌભાંડિયાને પકડવાની માંગણી કરવામાં આવી હતી.

પાર્ટી પ્રમુખ રામજીભાઈ સતવારા, દેવુભાઈ ગઢવી સહિતના આગેવાનો દ્વારા જિલ્લા તંત્રને આવેદનપત્ર આપીને સરકાર અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં નિષ્ફળ ગઈ, પેપરો ફૂટ્યા હતાં તે સમયે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા હતાં, ત્યારે સરકારે સાચા કૌભાંડી પકડવાના બદલે યુવરાજસિંહ સામે પગલાં શરૃ કરતા આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહ પરનો કેસ તાકીદે પાછો ખેંચવા, આ કાંડની તપાસ પોલીસ દ્વારા કરવાના બદલે નિવૃત્ત હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરીને કરવા તથા સ્પેશ્યલ કોર્ટમાં આ બાબતે ન્યાય ઝડપી રીતે કરવા માંગ કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh