Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૫ઃ ભાણવડના એક આસામીએ મોટરમાં થયેલા નુકસાન અંગે વળતર મેળવવા વીમા કંપની સામે ફોરમમાં કરેલી ફરિયાદના અંતે વ્યાજ સાથે વળતર ચૂકવવાનો હુકમ થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં મહંમદ ઓસમાણ શેઠાએ પોતાની મોટરનો ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તે મોટરને અકસ્માત થતાં નુકસાનનું વળતર મેળવવા મહંમદભાઈએ કલેઈમ રજૂ કરતા વીમા કંપનીએ વળતર ચૂકવવાનો ઈન્કાર કર્યાે હતો.
વીમા કંપની સામે જામનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૃા.૧,૨૪,૧૦૭ની રકમ વ્યાજ સાથે ચુકવવા અને માનસિક ત્રાસ બદલ વળતર પણ આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag