Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનના કબાલમાં બે વિસ્ફોટ થતાં ૧૨ જવાનોના મોતઃ ૪૦ લોકો ઘાયલ

નજીકની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર

ઈસ્લાબાદ તા. રપઃ પાકિસ્તાનના કબાલમાં બે પ્રચંડ વિસ્ફોટ થતાં ૧ર ના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ ફિદાયન હોવાના કારણે થયું હોવાની પણ આશંકા છે.

પાકિસ્તાનના સ્વાત જિલ્લાના કબાલ શહેરમાં સોમવારે રાત્રે કાઉન્ટર ટેરરિઝમ વિભાગના પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. પોલીસ સ્ટેશનમાં બે વિસ્ફોટ થયા હતાં, જેના કારણે આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં ૧ર પોલીસ જવાનના મોત થયા છે, જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા છે. લોકોને યોગ્ય સારવાર આપવા માટે નજીકની તમામ હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. હુમલા પછી ખૈબર પખ્તુનખ્વામાં હાઈ એલર્ટ છે. ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટોમાં પોલીસ સ્ટેશનની છત ધરાશાયી થઈ હતી, જેના કારણે ઘણાં લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. આ ફિદાયીન હુમલો હોવાની આશંકા જણાવાઈ રહી છે.

ડીપીઓ સ્વાત શકીઉલ્લાહે એને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, બ્લાસ્ટને કારણે ત્રણ ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. વિસ્ફોટ પછી તરત જ પોલીસ સ્ટેશનમાં આગ લાગી હતી, જેમાં પોલીસકર્મીઓ દાઝી ગયા હતાં. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં આતંકીઓ વિરૃદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. અન્ય એક અધિકારી ડીઆઈજી ખાલિદ સોહેલનું કહેવું છે કે પોલીસ સ્ટેશન પર કોઈ ફિદાયીન હુમલો થયો નથી, પરંતુ વિસ્ફોટ એ જગ્યાએ થયો હતો, જ્યાં સ્ટેશનના સ્ટોર રૃમમાં હથિયારો અને દારૃગોળો રાખવામાં આવ્યો હતો. તેમને શંકા છે કે આ કોઈની બેદરકારીને કારણે થયું હોઈ શકે છે.

ડોનના અહેવાલ મુજબ એક પોલીસ અધિકારી ઈમદાદે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી સૂચવે છે કે વિસ્ફોટ પોલીસ સ્ટેશન કેમ્પસની અંદર રાત્રે ૮-ર૦ વાગ્યે થયો હતો. કેમ્પસમાં કાઉન્ટર ટેરરિઝમ ડિર્પાર્ટમેન્ટની ઓફિસ અને એક મસ્જિદ પણ છે.

સ્વાતમાં કાઉન્ટર ટેરરિઝમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા પછી વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત દેશના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે, દેશની સુરક્ષામાં જીવ ગુમાવનાર અધિકારીઓના યોગદાનને અમે હંમેશાં યાદ રાખીશું. તેમણે સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.

જ્યારે પાકિસ્તાની વેબસાઈટ 'ડોન' અનુસાર ર૦ર૩ ના પહેલા ૩ મહિનામાં ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં ૧રપ પોલીસકર્મીના મોત થયા છે, જ્યારે ર૧ર ગંભીર રીતે ઘાયલ થયા છે. આર્થિક અને રાજકીય સંકટથી પીડિત દેશમાં માત્ર ૯ દિવસમાં રપ હુમલા થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh