Advertisement
Author: નોબત સમાચાર

બિહાર, યુપી અને મધ્યપ્રદેશમાં પીએફઆઈના ૧૭ જેટલા ઠેકાણાઓ પર એનઆઈએ ત્રાટકી

અલગ અલગ ટીમો દ્વારા ઠેર-ઠેર દરોડાઃ

નવી દિલ્હી તા. રપઃ એનઆઈએની ટીમ બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ૧૭ સ્થળો પર દરોડા પાડી રહી છે. એનઆઈએની ટીમ બિહારના દરભંગા અને મોતિહારીમાં પીએફઆઈ સભ્યો વિરૃદ્ધ દરોડા પાડવા માટે પહોંચી હતી. આજ સવારે જ્યારે એનઆઈએની ટીમ બન્ને જગ્યાએ પહોંચી ત્યારે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો.

દરભંગામાં ડો. સારિક રઝા અને મોહમ્મદ મહેબુબના ઘરે એનઆઈએની અલગ-અલગ ટીમો પહોંચી છે. જ્યારે એનઆઈએની ટીમ સજ્જાદ અંસારીના મોતિહારીના ઘરે પણ પહોંચી છે. ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ છે. ઘરને બહારથી તાળુ મરી દેવામાં આવ્યું છે. કોઈ બહારના વ્યક્તિને અંદર પ્રવેશવાની મંજુરી નથી. ટીમ ઘરની અંદરના દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

જો સૂત્રોનું માનીએ તો આ તમામ લોકો પીએફઆઈ સાથે જોડાયેલા હોવાનું મનાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh