Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'સિવિલ સર્વિસ ડે'ની ઉજવણી

સ્યુમોટો વારસાઈ ઝુંબેશ સાથે

જામનગર તા. રપઃ જામનગરમાં આગામી તા. ૧લી મે ના થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર બી.એ. શાહના માર્ગદર્શન હેઠળ તમમ પ્રાંત તથા મામલતદાર કચેરીઓમાં ગત્ તા. ર૧ એપ્રિલના 'સિવિલ સર્વિસ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્યુમોટો વારસાઈ ઝુંબેશનું વિશેષ આયોજન કરી સંબંધીતોને તેઓના વારસાઈ હક્ક અપાવવા અંગેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ખાતેદાર ખેડૂતના અવસાનના ઘણાં કિસ્સાઓમાં વારસો દ્વારા વારસાઈ નોંધ દાખલ ન કરાવવાના કારણે લિટિગેશન ઊભા થતાં હોવાનું જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવેલ જેથી જામનગર જિલ્લાના તમામ ગામોમાં ઉપલબ્ધ મરણ રજિસ્ટરો ચકાસી વર્ષ ર૦૧૧ થી ર૦રર દરમિયાન અવસાન પામનાર વ્યક્તિઓનો ડેટા એકત્ર કરી સંબંધીત ગામના ગામ નમુના નંબર ૮-અ સાથે ક્રોસ વેરિફાઈ કરી, જો કોઈ અવસાન પામેલ ખાતેદારનું ખાતું ચાલુ હોય તો મામલતદાર મારફત જરૃરી ખરાઈ કરાવી જરૃરી આધાર પુરાવા વારસદારો પાસેથી મેળવી વારસાઈ નોંધો દાખલ કરાવવાની કામગીરી જિલ્લા કલેક્ટરના સીધા મોનીટરીંગ હેઠળ ઝુંબેશ સ્વરૃપે હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીથી અવસાન પામનાર ખાતેદારોના વારસોને વારસાઈ હક્ક અપાવવા અંગેના હકારાત્મક પરિણામો પણ મળેલ છે, જેમાં જામનગર તાલુકામાં ર૭, ધ્રોળ તાલુકામાં ૭૧, જોડિયા તાલુકામાં પ૦, લાલપુર તાલુકામાં ૬૪ કાલાવડ તાલુકામાં ૩૩ તેમજ જામજોધપુર તાલુકામાં પ૮ વારસાઈ નોંધો દાખલ કરવામાં આવલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh