Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાનના માતા-પિતાને માર મારી અપાઈ ધમકીઃ
જામનગર તા.૨૫ ઃ જામનગરના એક યુવાને થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તે સંબંધ યુવતીના પરિવારને પસંદ પડ્યો ન હતો. તેનો ખાર રાખી પોણા બે મહિના પહેલા આ યુવાનના ઘરમાં દરવાજો તોડીને ઘૂસી ગયેલા એક મહિલા સહિત ત્રણે યુવાનના માતા-પિતાને ધોકાવ્યા હતા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ ની શેરી નં.રમાં રહેતા રાજેશ ચંદુભાઈ વાઘેલા નામના યુવાને થોડા દિવસો પહેલા એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે સંબંધ યુવતીના પરિવારજનોને પસંદ પડ્યો ન હતો.
તે દરમિયાન ગઈ તા.૨૭ ફેબ્રુઆરીની રાત્રે રાજેશના પિતા ચંંદુભાઈ જેઠાભાઈ વાઘેલા તથા તેમના પત્ની અને પુત્ર રાજેશ, પુત્રવધૂ પ્રિયંકા ઘરમાં હતા. ત્યારે ઘરનો દરવાજો તોડી બાલુબેન મગનભાઈ ભાંભી, ચેતન મગનભાઈ ભાંભી અને મહેશ પેથાભાઈ વાઘેલા નામના ત્રણ વ્યક્તિઓ ઘૂસી ગયા હતા.
આ વ્યક્તિઓએ ગાળો ભાંડી ચંદુભાઈ તથા તેમના પત્નીને ઢીકાપાટુ વડે માર માર્યાે હતો અને રાજેશ તથા તેમના પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની ચંદુભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ-૩૨૩, ૪૨૭, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag