Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા.રપ ઃ જામનગરના ગણેશવાસમાં રહેતા એક યુવાને ગયા મંગળવારે હર્ષદ મીલની ચાલી પાસે જઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક જઈ ગઈ તા.૧૮ના દિને ઉમેશભાઈ દામજીભાઈ વાઘેલા નામના સાડત્રીસ વર્ષના યુવાને ઝેરી દવા પી લીધી હતી.
નગરમાં જૂની જેલ પાછળના ગણેશવાસમાં રહેતા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર આર.એ. કુબાવતે મૃતદેહને પી.એમ. માટે ખસેડી સિટી-એ ડિવિઝન પોલીસને જાણ કરી છે. એએસઆઈ કે.પી. જાડેજાએ આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag