Advertisement
Author: નોબત સમાચાર

રિમાન્ડ પૂર્ણ થતાં દુષ્કર્મનો આરોપી આચાર્ય જેલહવાલે

ચકચારી દુષ્કર્મ પ્રકરણઃ

જામનગર તા.૨૫ ઃ જામનગરની વિદ્યાર્થિની પર દુષ્કર્મના ગુન્હામાં ઝડપાયેલા પૂર્વ આચાર્યના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે આ શખ્સને જેલમાં ધકેલી દીધો છે.

જામનગરની એક વિદ્યાર્થિની ૫ર વર્ષ ૨૦૧૫થી સતત દુષ્કર્મ ગુજારતા એક શાળાના આચાર્ય અને હાલમાં જામનગરની ભાગોળે આવેલી એક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા મનિષ બુચની વડોદરાથી પોલીસે ધરપકડ કરી તેના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ આરોપીના રિમાન્ડ ગઈકાલે પૂર્ણ થતાં તેને તપાસનીશ પોલીસ ટૂકડીએ અદાલતમાં રજૂ કર્યાે હતો. અદાલતે આ શખ્સને જેલમાં ધકેલી દીધો છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યા મુજબ તેેણે આ વિદ્યાર્થિનીને પોતાના બે મોબાઈલમાંથી અંદાજે ૬૦૦ જેટલા કોલ કર્યાનંુ કબૂલ્યું હતું. આ શખ્સે તે સિવાય સોશિયલ મીડિયાથી પણ ચેટીંગ કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે તેના બંને મોબાઈલ કબજે કરી ચકાસણી માટે લેબ.માં મોકલી આપ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh