Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે દિવસમાં સાત કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયાઃ તંત્રમાં દોડધામ

એક દર્દી હોસ્પિટલમાં દાખલ

જામનગર તા. રપઃ જામનગરમાં ધીમા પગલે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે શહેર વિસ્તારમાં ત્રણ કેસ નોંધાયા પછી આજે વધુ ચાર કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી હતી. હાલ આ ૬ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે જામનગરમાં કુલ ૧૨ એક્ટિવ કેસ છે.

જામનગર શહેરમાં કોરોનાનું આક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા પ૯ વર્ષના મહિલા, ડ્રીમ સિટી, સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી રર વર્ષની યુવતી તેમજ પંચવટી વિસ્તારમાં રહેતી પ૯ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. આ ત્રણેયને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવનારના પણ પરીક્ષણ કરવામાં આવ્યા છે, જો કે હોસ્પિટલમાં કોઈ દર્દીને દાખલ કરવાની જરૃર પડી નથી. દરમ્યાન આજે ૧૮૩ વ્યક્તિઓના કોરોનાલક્ષી પરિક્ષણ કરવામાં આવ્યા હતાં તેમાંથી ચાર દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. આજે એક દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૨ ની થવા જાય છે. જ્યારે એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નગરજનોએ ખૂબ જ સાવચેતી રાખવી જરૃરી બની છે. થોડી પણ ભૂલ ભારે પડી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh