Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વીજ કનેક્શન કાપવાના પ્રશ્ને કર્મચારી પર પિતા-પુત્રનો હુમલો

ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાેઃ

જામનગર તા.૨૫ ઃ જામનગરની વીજ કંપનીના કર્મચારીને વીજ કનેક્શન કાપવા બાબતે ગઈકાલે નગરસીમ વિભાગની કચેરીએ ધસી અવેલા પિતા-પુત્રએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. વીજકર્મીએ ફરજ રૃકાવટ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટી સામેની પીજીવીસીએલની નગરસીમ સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા મયુરસિંહ કાનભા જાડેજા ગઈકાલે સવારે પોતાની કચેરીમાં હાજર હતા ત્યારે ત્યાં કૃષ્ણનગરની શેરી નં.પમાં રહેતા યજ્ઞેશ રતિલાલ રાણપરીયા તથા રતિલાલ રાણપરીયા નામના પિતા-પુત્ર આવ્યા હતા.

આ વ્યક્તિઓએ અમારો સર્વિસ વાયર કાપી વીજ કનેક્શન કેમ કટ કર્યું તેમ કહી બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી મયુરસિંહ પર ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. ફરજમાં રૃકાવટ કરનાર યજ્ઞેશ તથા તેના પિતા રતિલાલ રાણપરીયા સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે મયુરસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૩૨, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh