Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોભાણી પરિવાર દ્વારા આયોજનઃ
ઓખા તા. ર૫ઃ ઓખામાં સ્વ. શ્રી જીવણદાસ તુલસીદાસ થોભાતી તથા મનસુખલાલ કરશનદાસ થોભાણી પરીવાર દ્વારા તા. ર૩-૩ થી ર૯-૩ દરમ્યાન લોહાણા મહાજન વાડી, નવનગરી ઓખામાં દરમ્યાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું છે. મનસુખલાલ કરશનદાસ થોભાણીનાં નિવાસ સ્થાનેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.
કથામાં પ્રસિદ્ધ કથાકાર શ્રી સાગર મહારાજ (હરીપુરવાળા) પ્રતિદિન બપોર ૩ઃ૩૦ થી ૭ઃ૩૦ દરમ્યાન વ્યાસપીઠ પરથી પોતાની આગવી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં ર૪-૩નાં શ્રી નૃહસિંહ ભગવાન પ્રાગટ્ય, રપ-૩નાં શ્રી વામન જન્મ અને શ્રી રામજન્મોત્સવ, ર૬-૩નાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ર૭-૩એ ગોવર્ધન લીલા, ર૮-૩એ રૃક્ષમણિ વિવાહ, ર૯-૩એ સુદામા ચરિત્ર કથા પછી કથા વિરામ પામશે અને હૂરીયાગ પૂર્ણાહુતિ યજ્ઞ યોજાશે. દરમ્યાન રપ-૩ને શનિવારે રાત્રે ૧૦ઃ૩૦ કલાકે શ્રીનાથજીની ઝાંખીનો તથા તા. ર૭-૩ને સોમવારે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે રામધૂનનો કાર્યક્રમ યોજાશે. તા. ર૯-૩ને બુધવારે રાત્રે ૮ કલાકે રઘુવંશી સમૂહ ભોજન (પ્રસાદી)નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag