Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૫ ઃ જામનગરમાં કોઈ બાબતની તપાસ માટે આવેલી એટીએસની ટીમે આઠ શખ્સની પૂછપરછ કર્યા પછી બેને જવા દીધા હતા અને બાકીના છને વધુ પૂછપરછ માટે અમદાવાદ કચેરીએ ખસેડ્યા છે. જામનગરમાં રાજ્યની એટીએસ ટૂકડીએ ગુરૃવારે ત્રાટકી કેટલાક શખ્સો અંગે વિગતો એકઠી કરવાનું શરૃ કર્યું હતું. તે પછી ગઈકાલે એસપીની ખાસ ટૂકડીને સાથે રાખી એટીએસે સચાણા અને જોડિયામાંથી આઠ શખ્સને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે પછી બે શખ્સની પૂછપરછ પૂર્ણ થતાં તેઓને જવા દેવામાં આવ્યા હતા અને બાકીના છ શખ્સને સાથે રાખી એટીએસની ટીમ અમદાવાદ રવાના થઈ હતી. સચાણા તથા જોડિયાના ત્રણ-ત્રણ શખ્સોને કોઈ બાબતે પૂછપરછ માટે લઈ જવાયાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag