Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી
ભાટીયા તા. ર૫ઃ ભાટીયાના કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આયોજીત અને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોડકટરની ટીમ દ્વારા નિદાન કરી વિના મૂલ્યે નેત્રનિદાન કેમ્પ તથા મોતીયાના ઓપેરશન સાથે ૯૩માં કેમ્પનું આયોજન તા. ર૬-૦૩-ર૦ર૩ના રવિવારે ભાટીયાની સરકારી દવાખાનામાં સવારે ૯ થી ૧ર સુધી કરવામાં આવ્યું છે.
જેમાં આંખના દર્દીઓનું નિદાન કરી જરૃરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામાં આવશે તથા મોતીયાનાં ઓપરેશનની જરૃરીયાતવાળા દર્દીઓને રણછોડદાસબાપુ હોસ્પિટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ, આધુનીક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી વિના મૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે તથા દર્દીઓને, રહેવા, જમવા, ચા-નાસ્તો, દવા-ટીપાં, તથા ઓપરેશનની તમામ સારવાર વિના મૂલ્યે કરી કેમ્પના સ્થળે ભાટીયા પરત મૂકવામાં આવશે. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં, આ કેમ્પનો લાભ લેવા અને વધુ માહિતી માટે મો. નં. ૯૪૨૭૪ ૨૦૧૧૧નો સંપર્ક કરવા કિશોર ચેરી. ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag