Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ.બંગાળના પુરૃલિયા-જમશેદપુર નેશનલ હાઈવે પર
કોલકાતા તા. ૨૦ઃ પશ્ચિમ બંગાળના પુરૃલિયા-જમશેદપુર નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માત થતા ૯ લોકોના મૃત્યુ થયા છે.
પશ્ચિમ બંગાળના પુરુલિયા નેશનલ હાઈવે પર અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. આ અકસ્માત શુક્રવારે સવારે પુરુલિયા-જમશેદપુર નેશનલ હાઈવે નંબર ૧૮ પર થયો હતો. બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામસોલ પ્રાથમિક શાળા પાસે બનેલો અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા.
કહેવામાં આવી રહૃાું છે કે કારમાં સવાર ૯ લોકો પુરુલિયાથી ઝારખંડ તરફ જઈ રહૃાા હતા. કાર બર્મપુર તરફથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે ૯ લોકોને મૃત જાહેર કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બધા લોકો લગ્ન સમારંભમાંથી પાછા ફરી રહૃાા હતા. બોલેરો કાર પુરુલિયાથી બલરામપુર જઈ રહી હતી. તે જ સમયે, કાર કંટ્રોલ બહાર ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રક સાથે અથડાઈ.
કારને બચાવવાના પ્રયાસમાં, ટ્રક પણ કંટ્રોલ બહાર ગઈ અને નજીકના ડાંગરના ખેતરમાં ઘૂસી ગઈ અને પલટી ગઈ હતી. માહિતી મળતાં, બલરામપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકો પુરુલિયાના અદાબાના ગામથી ઝારખંડના તિલાઈતન ગામ જઈ રહેલા બોલેરો એસયુવીમાં મુસાફરી કરી રહૃાા હતા. તેમનું વાહન ઝડપથી આવી રહેલી ટ્રક સાથે અથડાયું.
ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોને એટલી ખરાબ રીતે નુકસાન થયું કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ. સ્થાનિક લોકો અને ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial