Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનાના માલિકે પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૦ઃ જામનગરના મોટી બાણુંગાર ગામ પાસે આવેલા એક કારખાનામાં ત્રણ સપ્તાહ પૂર્વે નિદ્રાધીન કેટલાક શ્રમિકોના મોબાઈલ કારખાનામાં ઘૂસી ગયેલા અજાણ્યા તસ્કરે ઉપાડી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે આ કારખાનાના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટીબાણુગાર નજીકના રામપર ગામ તરફ જવાના રસ્તા પર શિવમ મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા મૂળ લખતરના અને હાલમાં લાલવાડી નજીક વસવાટ કરતા જયદીપ ડાયાલાલ દલસાણીયાના શિવમ મેટલ નામના કારખાનામાં ગઈ તા.૩૧ની રાત્રે કેટલાક શ્રમિકો નિદ્રાધીન થયા હતા.
તે પછી રાત્રે એકાદ વાગ્યે કોઈ તસ્કરો તેમના કારખાનામાં ઘૂસ્યા હતા. આ તસ્કરોએ અંદરથી સૂર્યદેવગણ અને પાઈકો મુંડા નામના બે શ્રમિકના રૃા.૩૪ હજારના બે મોબાઈલ ઉઠાવવા ઉપરાંત અન્ય કેટલાક શ્રમિકના મોબાઈલ પણ ચોરી લીધા હતા. આ બાબતની જયદીપ દલસાણીયાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial