Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૧ જૂન ને શનિવાર
જામનગર તા. ૨૦ઃ આકાશમાં સૂર્ય જે માર્ગ ઉપર ગતિ કરતો દેખાય છે તે અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. ખગોળની પરિભાષામાં ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત એકબીજાને છેદે છે, તે દરેક છેદન બિંદુને સંપાતબિંદુ કહેવામાં આવે છે.
સૂર્ય જયારે રવિમાર્ગ ઉપર પોાતની ઉત્તર તરફની આકાશી યાત્રા દરમ્યાન વધુ ને વધુ ૨૩.૫ અંશ ખસી ને ઊગ્યા બાદ સૂર્ય પાછો દક્ષિણ તરફ ખસવા માંડે છે. અને કર્ક રાશિ પ્રવેશ વખતે જે બિંદુને છેદે છે, એ દિવસ તેમજ તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. અને તે સ્થાનને કર્કારંભ કરેવામાં આવે છે. તે વર્ષેનો સૌથી લાંબો દિવસ ૨૧ જૂનનો હોય છે.
હવે પછી, ૨૨ જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ ખસતો જતા આપણે ત્યાં ઉત્તર ગોળાર્ધમાં ક્રમશઃ દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ૨૧ જૂનના દિવસે ઉત્તર ધ્રુવ ઉપર છ મહિના સુધી દિવસ દરમ્યાન સૂર્ય વધુ માં વધુ ઊંચાઈ ૨૩.૫ અંશ ઉપર જોવા મળશે અને દક્ષિણ ધ્રુવ ઉપર છ મહિનાની રાત્રિએ મધ્ય દિવસ હશે.
આગામી તા. ૨૩ સપ્ટેમ્બર શરદસંપાત અને ૨૧ માર્ચ વસંતસંપાત ના દિવસ દરમ્યાન દિવસ અને રાત્રિની લંબાઈ સરખી હોય છે. તેમ જામનગર ખગોળમંડળના સંયોજક કિરીટ શાહ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial