Advertisement
Author: નોબત સમાચાર

વરવાળામાં તળાવમાં પડી ગયેલા યુવાનનું મૃત્યુ

દાત્રાણા ગામમાં વીજ આંચકાથી વૃદ્ધ મોતને શરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ઃ ઓખામંડળના વરવાળામાં વસવાટ કરતા એક યુવાન મંગળવારે ગામની સીમમાં તળાવ પાસે હતા ત્યારે કોઈ રીતે તળાવમાં પડી જતાં ડૂબી જવાથી મોતને શરણ થયા છે. જ્યારે ખંભાળિયાના દાત્રાણામાં ઈલેકટ્રીક મોટર ચાલુ કરતી વખતે વીજ આંચકો લાગતા એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા વરવાળા ગામમાં વસવાટ કરતા નાથાભા થાલાભા સુમણીયા ઉર્ફે અનુભા (ઉ.વ.૩૦) નામના યુવાન મંગળવારે સાંજે ગામમાં આવેલા શિવમંદિર નજીકના તળાવ પાસે પહોંચ્યા હતા.

આ વેળાએ કોઈ રીતે નાથાભા તળાવમાં પડી જતા તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું આલાભા પાલાભા સુમણીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના કરશનભાઈ ભાણજીભાઈ ભટ્ટ (ઉ.વ.૭૪) નામના વૃદ્ધ ગઈકાલે સવારે પોતાના ખેતરે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયા ત્યારે કોઈ રીતે વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ભાવેશભાઈ ભટ્ટે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh