Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સાહિત્યકાર લેફટ ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને બે પારિતોષિક થશે એનાયત

નગરના સાહિત્ય જગતમાં આનંદની લહેર વ્યાપી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ઃ જામનગરના વરિષ્ઠ સાહિત્યકાર લેફ્ટ. ડો સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને ગુજરાતી ભાષાનાં પ્રતિષ્ઠિત અરવિંદ સુવર્ણચંદ્રક તથા હરિલાલ માણેકલાલ દેસાઇ પારિતોષિક એનાયત થવાની ઘોષણાથી નગરના સાહિત્ય જગતમાં આનંદની લહેર વ્યાપી ગઇ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ નાં પારિતોષિકોની ઘોષણા કરવામાં આવી છે જેમાં ડો. સતિષચંદ્ર વ્યાસ નાં પુસ્તક 'આગવો કબીર' ને વર્ષ ૨૦૨૦ નો શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક તથા અન્ય પુસ્તક 'રવિન્દ્રનાથનો કલાવૈભવ' ને વર્ષ ૨૦૨૦ નું હરિલાલ માણેકલાલ દેસાઇ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા થઇ છે. જેને પગલે નગરનાં ગૌરવમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' નાં અનેક પુસ્તકો સાહિત્ય જગતમાં સન્માન પામ્યા છે. બાઉલ પરંપરા વિશેનાં તેમનાં પુસ્તકો પુરસ્કૃત થયા છે ઉપરાંત સંશોધન - પુરાતત્ત્વ ક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહૃાું છે. તેમને ગુજરાતી ભાષાનો પ્રતિષ્ઠિત અરવિંદ સુવર્ણચંદ્રક એનાયત થવાની તથા હરિલાલ દેસાઇ પારિતોષિક પણ અર્પણ થવાની ઘોષણાથી એકસાથે બે એવોર્ડ મળવાથી નગરનાં સાહિત્ય જગતમાં વધારો થયો છે અને સાહિત્યકાર પર કલા જગત દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh